ટંકારાના મોટા ખિજડીયામાં વરૂણ દેવને રીઝવવા યજ્ઞ કરાયો

- text


ટંકારા : ટંકારાના મોટા ખીજડિયા ગામે વરુણદેવને રીઝવવા માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં વરુણદેવને મનમૂકીને હેત વરસાવવાની પ્રાથના કરવામાં આવી હતી.

આકાશી દેવની અમી ક્રુપા વિના સુકિ ભઠ બનેલી ધરાને ફરી લીલી છમ કરવા અને જગતતાતના સુકાતા મોલને નવજીવન આપવા વરૂણ દેવને મનાવવા ટંકારાના મોટા ખિજડીયા ગામે યુવાનો દ્વારા યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ થકી વરુણદેવને મનમૂકીને વરસવાની પ્રાર્થના કરવામાં આવી હતી.

- text

- text