મોરબીના યુવા આગેવાને ખેડૂતના પ્રશ્ને કૃષિ પ્રધાનને રજૂઆત કરી

- text


મોરબી : મોરબી જીલ્લાના ઘુનડા(ખા.)ના યુવા આગેવાન નીલેશભાઈ જીવાણી એ ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર ના કૃષિ પ્રધાન રણછોડભાઈ ફળદુ સાથે મુલાકાત કરી ને મોરબી જીલ્લા ના ગ્રામ્ય વિસ્તારો માં ખેતી , સિંચાઈ ,ખેડૂતો સાથે સંકળાયેલા મુદાઓ પર રજુઆત કરી હતી

- text

ચાલુ સીઝન માં મોરબી વિસ્તાર માં અપૂરતા વરસાદ ને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા ની પરિસ્થિતિ ઉદભવની સંભાવના છે ત્યારે આ વિસ્તારો ના ગામડાઓ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ના મુંજવતા અલગ અલગ પ્રશ્નો પર રજુઆત કરી હતી. રજૂઆતના પગેલ કૃષિ પ્રધાન શ્રી રણછોડભાઈ ફળદુ એ આવનારા સમય માં દરેક પરીસ્થીતી માં ખેડૂત ની સાથે રહેશે અને તમામ પ્રશ્નો ના હલ કરવા બાહેંધરી આપી હતી.

- text