- text
વાંકાનેર : મળતી માહિતી મુજબ વાંકાનેર માં આવેલ પ્રતાપચોકમાં ગિરિરાજ મંડપની પાછળ બ્રાહ્મણ શેરીમાં રહેતા જસુબા નવલસિંહ જાડેજા ઉંમર વર્ષ 75 તેમના ઘરે બપોરના સમયે એક અજાણ્યો ઈસમ મકાનની પાછળ ની વંડી ટપી ઘરમાં ઘૂસી પૈસાની માંગણી કરેલ અને ઝપાઝપી કરતાં ઘરમાં રહેલા તેમના પુત્ર વધુ બહાર આવતા જશુબાને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી નાસી ગયેલ જસુબાને સરકારી દવાખાને લઈ જતાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
- text