મોરબીમાં લોહાણા જ્ઞાતિના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

- text


ધો. ૯ થી કોલેજ સુધીના રઘુવંશી છાત્રોને તા. ૧૩ સુધીમાં ફોર્મ ભરવાનુ રહેશે

મોરબી : મોરબીના વસંત પ્લોટ ખાતે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી ૧૩ સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં ચાલુ વર્ષે ઉત્તીર્ણ થયેલા ધો. ૯ અને તેનાથી ઉપરના તથા કોલેજના વિદ્યાર્થીઓ એન્ટ્રી ફોર્મ ભરી શકશે. એન્ટ્રી ફોર્મ ભરનારે ઓછામા ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી છે. આવેલી એન્ટ્રી ફોર્મમાંથી પ્રથમ અને દ્વિતીય વિદ્યાર્થીનું ઇનામથી સન્માન કરવામાં આવશે.

- text

એન્ટ્રી ફોર્મ ૧૩ સપ્ટેમ્બર સુધીમાં સ્વીકારવામાં આવશે. એન્ટ્રી ફોર્મ મેળવવા માટે અથવા વધુ વિગત માટે મનોજભાઈ આર. કોટક, મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર, કુબેરનાથ રોડ, મોરબી ફોન નં. ૨૨૦૪૭૬ અથવા જીતેન્દ્ર કે. રાજવીર, જય જલારામ ટ્રેડિંગ કં. ગાંધી ચોક, મોરબી ફોન નં. ૨૩૦૦૨૧ નો સંપર્ક કરવા પ્રોજેકટ ચેરમેન જીતેન્દ્ર કે. રાજવીર, સેક્રેટરી ડેનિશ પી. કાનાબાર અને પ્રમુખ યોગેશ એસ. માણેકની યાદીમાં જણાવાયું છે.

- text