માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળાના બાળકોને સનમાઈકા પેડ અપાયા

- text


દાતા દ્વારા બાળકોને મનગમતી ભેટ અપાતા બાળકો ખુશખુશાલ

મોરબી : મોરબીની માધાપરવાડી કન્યા પ્રાથમીક શાળામાં બાળકોને દાતા તરફથી સન્માઈકા પેડ અર્પણ કરાતા બાળકો ખુશખુશાલ બન્યા હતા.

પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર,દાન-ધર્મ કિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર, ઉક્તિ મુજબ આપણાં દરેક ધર્મ શાસ્ત્રોમાં દાનનો મહિમા ખૂબ જ વર્ણવ્યો છે ત્યારે માધાપરવાડી કન્યા શાળામાં પરમાર ભુરજીભાઈ દયારામભાઈ બોરીયાપાટી વાળા તરફથી કુલ ૧૫૦ સુંદર સન્માઈકના પેડ બાળકોને અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો ને પોતાને મનગમતી વસ્તુ મળતા એમના મુખ પર હાસ્ય રેલાયું હતું અને દાતાએ પણ આ સંતોષકારક કાર્યથી આનંદ મેળવ્યો હતો.

- text

- text