મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં મહિલા હેલ્પલાઈન સેમિનાર યોજાયો

- text


મોરબી : મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે ૧૮૧ મહિલા હેલ્પલાઈન માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ સેમિનારમાં સાર્થક વિદ્યામંદિરમાં ૧૮૧ ની ટીમને બોલાવવામાં આવી હતી જેમાં કાઉન્સિલર અલ્પાબેન પરમારે ધો.૬ થી ૧૨ ની બહેનોને માર્ગદર્શન આપ્યુ હતું.

- text

સાથે -સાથે કોન્સ્ટેબલ ભારતીબહેન પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને કાયદાકીય બાબતોની સમજણ આપી હતી, આ તકે શાળા તરફથી તેમના સરાહનીય કાર્ય બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.

- text