મોરબીના વાઘપર પીલુડી ગામે વિજશોક લાગતા આધેડનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે થાંભલા ઉપર ચડી લાઈટ રીપેરીંગ કરી રહેલ આધેડને વિજશોક લાગતા મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા દીનેશભાઇ કાંતીભાઇ રામાવત ઉ.વ ૫૫ પોતાના ઘરે ઇલેક્ટ્રીક થાંભલા ઉપર લાઇટ નો વાયર સરખો કરવા જતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં લાવતા રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એ.ડી. નોંધી છે અને આગળની તપાસ હેડ કોન્સ. એમ.પી.ચાવડા કરી રહ્યા છે.

- text

- text