હળવદ : ધનાળા ગામની અપહ્યત સગીરા અમદાવાદથી મળી આવી

- text


હળવદ પોલીસે ગણતરીના દિવસોમાં સગીરાનો કબજાે પરિવારજનોને સોંપ્યો : સુરેન્દ્રનગરનો શખ્સ લગ્નની લાલચે ભગાડી ગયો’તો 

હળવદ : હળવદ તાલુકાના જુના ધનાળા ગામે પાંચ દિવસ પૂર્વે સુરેન્દ્રનગરનો શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી- ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાતા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં સગીરાનો પતો મેળવી અમદાવાદથી પરત લાવી પરિવારજનોને સોંપી આપેલ. જયારે સગીરાને ભગાડી ગયેલ શખ્સ પોલીસને જાઈ નાસી છુટતા પોલીસ દ્વારા ટેકનિકલ તપાસના આધારે શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે.

હળવદ પંથકમાંથી સગીરાઓને લલચાવી- ફોસલાવી ભગાડી જવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જાવા મળી રહ્યો છે ત્યારે આવો જ એક બનાવ તાલુકાના જુના ધનાળા ગામે બન્યો હતો. પરંતુ હળવદ પોલીસની મહેનત થકી પરિવારજનોને પોતાની સગીર વયની પુત્રી પરત મળી હતી. બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તાલુકાના જુના ધનાળા ગામની અપહ્યત સગીરાને સુરેન્દ્રનગર રહેતો મહેન્દ્ર ચમન વાઢેર લલચાવી- ફોસલાવી ભગાડી ગયો હોવાની ગત તા.૧૩/૭ના રોજ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

- text

જે ફરિયાદના આધારે હળવદ પોલીસના ઈન્ચાર્જ પી.આઈ. આઈ.એમ. કોંઢીયા દ્વારા જુદીજુદી ટીમો બનાવી સઘન તપાસ કરતા સગીરાનો અમદાવાદ ખાતેથી પતો મળી આવતા હળવદ પોલીસ મથકે લાવી સગીરાને પરિવારજનોને સોંપેલ. જયારે આરોપી મહેન્દ્ર અમદાવાદથી નો દો ગ્યારા થઈ ગયો હતો. જેને ઝડપી લેવા હળવદ પી.આઈ. દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે. 

- text