મોરબીના નાગડાવાસમાં રૂ. ૪.૮૨ લાખની ચોરી

- text


ઘરધણી સુતા રહ્યા અને તસ્કરો આરામથી તિજોરીની ચાવી લઈ હાથફેરો કરી ગયા

મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતો પરિવાર ગત રાત્રિનાં પોતાના ઘરની છત પર સુતા હતાં તે દરમિયાન તસ્કરો ત્રાટકયા હતાં અને ઘરની ગ્રીલ તોડી અને રૂમમાં રાખેલા કબાટની ચાવી મેળવી રુ.૬૭ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૪.૮૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

- text

બનાવની મળતી વિગત મુજબ મોરબીના નાગડાવાસ ગામે રહેતાં કરશનભાઈ જગુભાઈ ખાંભલા તેમનાં ઘરની છત પર સુતા હતાં તે દરમીયાન રાત્રિના તસ્કરો ત્રાટકયા હતાં અને ઘરનાં દરવાજા અને રૂમમાં રાખેલ કબાટની ચાવી મેળવી લીધી હતી અને ઘરમાંથી રોકડ રૂ.૬૭ હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૪.૮૨ લાખનો મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે તાલુકા પોલિસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text