પીપળીયા ચાર રસ્તા : નીલકંઠ વિદ્યાલયના બાળકોએ જાદુનો ખેલ માણ્યો

- text


મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલયના કેજી થી ધો.૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ એ જાદુના ખેલની મજા માણી હતી. આમ પ્રથમ સત્રમાં જ બાળકો ને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.

તમામ બાળકો જયપાલ જાદુગરની હાથ ચાલાકી જોઈ દંગ રહી ગયા હતા તેમજ જાદુગરની ટીમે ઉપસ્થિત તમામ સ્કૂલ ના બાળકો ને મંત્ર મુગ્ધ કરી દિલ જીત્યા હતા. જાદુગરનો કાર્યક્રમ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક આનંદ પૂર્વક માણ્યો હતો આ તકે સંસ્થાના સંચાલક યાજ્ઞિકભાઈ ધમસણાએ જાદુગર નો આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

- text

- text