વાંકાનેરમાં આવતીકાલે વિનામુલ્યે રોપાનુ વિતરણ

- text


શ્રી અરજણભાઈ છનાભાઈ ઉઘરેજા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજન

વાંકાનેર: વાંકાનેર માં શ્રી અરજણભાઈ છનાભાઈ ઉઘરેજા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર ને હરિયાળીમય બનાવવા ના સંકલ્પ સાથે આવતીકાલે રાજકોટ રોડ પર સદગુરુ આશ્રમ ની બાજુમાં આવેલ બાબુભાઈ ઉઘરેજા ના ફાર્મ હાઉસ ખાતે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી અલગ અલગ પ્રકારના રોપાનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

- text

તો વાંકાનેરને હરિયાળીમય બનાવવા વાંકાનેર ના પર્યાવરણ પ્રેમીઓએ અચૂક હાજરી આપી સેવામાં સહભાગી બનવા ટ્રસ્ટના અગ્રણી બાબુભાઈ ઉઘરેજાએ જણાવ્યું હતુ.

- text