મોરબીમાં શ્રમિક પરિવારની માસુમ બાળકીની હત્યા

- text


ગુમ થયા બાદ પાંચ વર્ષની બાળકીની લાશ મળી આવતા ખળભળાટ

મોરબી : મોરબીમાં લાપતા બનેલ પાંચ વર્ષની માસુમ બાળકીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે, અત્રેના લગધીરપુર રોડ પર શ્રમિક પરિવાર બાળકીની હત્યા કરવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રોપોલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની અંદાજે પાંચ વર્ષની માસૂમ બાળકીની લાશ મળી આવતા રાહસ્યોના તાણા વાણા સર્જાયા છે.

- text

વધુમાં સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની અંદાજે પાંચ વર્ષની બાળા ગુમ થઈ હતી અને તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બીજી તરફ આ ઘટના બાદ કારખાનામાં કામ કરતો એક મજુર ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા આ શંકાસ્પદ બનાવની તપાસ માટે ડીવાયએસપી બન્નો જોષી, તાલુકા પીએસઆઈ રાણા સહિતની ટીમ દોડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

- text