મોરબીના વાઘપર પીલુડીમાં ગ્રામપંચાયત દ્વારા ૧૫૦૦ વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : મોરબીના વાઘપર પીલુડી ગામે ગ્રામપંચાયત દ્વારા વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ૧૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સેવકાર્યમાં સરપંચ , ઉપસરપંચ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

મોરબીના વાઘપર પીલુડી ગામે ગ્રામપંચાયત દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ કેશુભાઈ કડીવાર, ઉપસરપંચ જેન્તીભાઈ લોરીયા, જયદીપભાઈ લોરીયા અને રવિ લોરીયા સહિતના અગ્રણીઓએ ૧૫૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. વાઘપર પીલુડી ગામને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે હાથ ધરવામાં આવેલા વૃક્ષારોપણના કાર્યમાં સમસ્ત ગામ જોડાયુ હતું.

- text

- text