મોરબીમાં દીકરીના જન્મ દિવસે વૃક્ષારોપણ અને વૃક્ષદાન

- text


મોરબી : પર્યાવરણ જતનની ઉમદા ભાવના સાથે મોરબીના પરિવાર દ્વારા દીકરીના જન્મદિવસે વૃક્ષારોપણ અને વૃક્ષદાન કરી અનોખી રીતે ઉજવવા આવશે.

મોરબી વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પારીઆના ઘરે પુત્રીનો જન્મ થતા દરવર્ષે જન્મદિવસે વૃક્ષ વાવી અને વૃક્ષનું દાન કરી જન્મ દિવસ ઉજવવા નકકી કર્યું છે જે અન્વયે આગામી તા. ૨૬ ને મંગળવારે તેમની લાડલીના પ્રથમ જન્મદિવસે મોરબીના શનિમંદિર, પરસોત્તમચોક, રવાપર રોડ ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન વૃક્ષારોપણ અને વૃક્ષદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

- text

જેથી મોરબીની પર્યાવરણ પ્રેમી જનતાએ પર્યાવરણ જતન માટેના આ નાનકડા પ્રયાસમાં સહભાગી બનાવ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પરિયાની યાદીમાં જણાવાયુ છે.

- text