વાંકાનેરના અગાભી પીપળીયામાં વીજળી પડતા બે યુવાનના મોત

- text


વાંકાનેર : આજે ભીમગિયારસના પાવન દિવસે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે સાંજે વાંકાનેર પંથકમાં ગાજ વીજ સાથે વરસાદ ખાબકતા વીજળી પડવાને કારણે બે ક્ષત્રિય યુવાનો દાઝી જતા ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડેલ હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા અગાભી પીપળીયા ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે સાંજે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ભયંકર વીજળી ત્રાટકતા ગામના બે ક્ષત્રિય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં વિજળી પડવાથી પુષ્પરાજસિંહ તેજુભા જાડેજા, ઉ.૧૮ અને વિશ્વજીતસિંહ જગુભા જાડેજા, ઉ.૧૮ ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા જેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી.

- text

વધુમાં બન્ને યુવાનો ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા હતા અને ભીમઅગિયારસના સપરમાં દિવસે જ બબ્બે ક્ષત્રિય યુવાનોના મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં શોક વ્યાપી ગયો છે.

- text