- text
વાંકાનેર: વાંકાનેર શહેરના સ્ટેચ્યુ થી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં છેલ્લી ત્રણ કલાકથી વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ વીજળીના અભાવે લોકો ત્રસ્ત થયા છે. ગરમીમાં ત્રણ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન પરેશાન થઈ રોષે ભરાયા છે.
- text
વાંકાનેર ના સ્ટેચ્યુ થી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વીજ લાઈન માં ખામી સર્જાતા છેલ્લી ત્રણ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઈ ગયા હોવાની વિગતો મળી છે. વધુમાં પી.જી.વી.સી.એલના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે પી.જી.વી.સી.એલની એક ટિમ ખામી શોધી રહી છે ટુક સમયમાં ખામી શોધીને સમસ્યા નું નિવારણ કરી ફરીથી વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.
- text