વાંકાનેર : ઢુવાથી માટેલધામ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં

- text


શુ તંત્ર આ રસ્તાપર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે ?

વાંકાનેર: આઈ શ્રી ખોડિયાર ધામ જવાનો રસ્તો એટલો દયનીય હાલતમાં છે કે લોકો ત્યાં દર્શને જવાનું મુલતવી રાખી રહ્યા છે આ અગાઉ પણ ત્યાંના સ્થાનિક લોકો અને ઉદ્યોગપતિઓ દ્વારા નેશનલ હાઇવે ચક્કાજામ કરી આ રસ્તો બનાવવા માટે તંત્ર ઉપર પ્રેસર આપેલ પરંતુ આ બનાવને છ-છ મહિના વીતવા છતાં આજ સુધી તંત્રને આ રોડ બનાવવાનું સુજ્યું નથી .

- text

મળતી માહિતી મુજબ હાલમાં આ રસ્તા પર પુલની વચ્ચે એક મોટુ ગાબડુ પડી ગયેલ છે જો તંત્ર દ્વારા સાવચેતી ના પગલા ભરવામાં નહીં આવે તો ત્યાં કોઈ ગંભીર બનાવ બનવાની શકયતા સેવાય રહી છે. દિવસ દરમિયાન વાહન ચાલકોને આ ખાડો દેખાઈ રહ્યો હોય સાવચેતી પૂર્વક ત્યાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ રાત્રીના સમયે અંધારામાં આ ખાડો દેખાય શકે તેમ ન હોવાથી લોકોને જાનનુ જોખમ રહેલ હોય તો તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે.

 

- text