વાંકાનેરમાં વરિયા પ્રજાપતિ સમાજના ૬૫ છાત્રોને કરાયા સન્માનિત

- text


સન્માન સમારોહમાં આઈ.આઈ.એમ.ના પ્રો. અનિલ ગુપ્તા અને વિધાનસભા દંડક સચિવ ડી.ડી. કાતરીયાની ખાસ ઉપસ્થિતિ

વાંકાનેર : વાંકાનેરમાં વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ૧ થી કોલેજ સુધીના ૬૫ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓની હાજરી રહી હતી.

- text

સન્માન સમારોહના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. આ તકે આઈ.આઈ.એમ.ના પ્રો. અનિલ ગુપ્તા , વિધાનસભા દંડક સચિવ ડી.ડી. કાતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જેન્તીલાલ ધરોડીયા, સુરેશભાઈ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રો.અનિલ ગુપ્તા એ જણાવ્યું હતું કે ઓછા માર્ક્સ આવવાથી કે નાપાસ થવાથી કોઈએ નાસીપાસ ન થવું જોઈએ અને પ્રયત્નો કરવા જોઈએ સફળતા ચોક્કસ મળશે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મનસુખભાઇ પ્રજાપતિ, પ્રકાશભાઈ ધરોડીયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

- text