મોરબીના આમરણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીના આમરણમાં માલાભાઈ લખુભાઈ પરમાર સ્મૃતિ હોલ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અનુસૂચિત જાતિના તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

માલાભાઈ લખુભાઈ પરમાર સ્મૃતિ હોલ દ્વારા આમરણમાં જોડિયા, મોરબી અને ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગોવિંદભાઇ દનિયાની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે લેખક અને મોટીવેશનલ સ્પીકર ડો.ભાણજીભાઈ સોમૈયા અને જયદેવબાપુએ લોકોને સંબોધિત કર્યા હતા.

- text

- text