મોરબી ખાતે તા.૨૯મી મેના રોજ એપ્રેન્ટીશ ભરતી મેળો યોજાશે

- text


ભરતી વાચ્છુક ઉમેદવારો મેળામાં ઉપસ્થિત રહેવા અપીલ

મોરબી : રોજગાર વિનિમય કચેરી, મોરબી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ના સંયુક્ત ઉપક્રમે તા.૨૯ ના રોજ સવારના ૧૧.00 કલાકે વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, મોરબી ખાતે મુખ્ય મંત્રી એપ્રેંટીસશીપ યોજના અન્વયે “એપ્રેંટીશ ભરતી મેળા” નું આયોજન કરવામાં આવેલ છે.

આ એપ્રેન્ટીસશીપ ભરતીમેળામાં આઇટીઆઇ/ડીપ્લોમા/ સ્નાતક્/અનસ્કીલ્ડ/એસએસસી વગેરેની લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ તરીકે (અથવા કામદાર તરીકે) પસંદગી કરવા માટે અગ્રગણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે.

- text

જેથી એપ્રેન્ટીસશીપ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,સ્કુલ લીવીંગ સર્ટી. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજ્ના ફોટોગ્રાફ વગેરે અસલ અને નકલો સાથે,( તેમજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો વાલી સાથે,)સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો તેમજ અગાઉથી ખાલી જગ્યાઓ નહી નોંધાવેલ નોકરીદાતાઓ પણ ઉપસ્થિત રહી શકશે.

એપ્રેન્ટીસશીપ તાલીમ વિનામુલ્યે હોય છે અને પ્રતિમાસ સરકારના નિયમોનુસાર સ્ટાઇપેન્ડ અને રજાના લાભો મળવાપાત્ર છે. તેમજ તાલીમ પુર્ણ થયે અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં સફળ થનાર ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેવુ રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રા મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text