મોરબીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાતા ફરિયાદ

- text


લગ્નની લાલચ આપી પરિવારજનોની મદદથી કૃત્ય આચરતા ચાર સામે ફરિયાદ

મોરબી : મોરબીની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યા બાદ પરિવારજનોની મદદગારીથી અવારનવાર દુષ્કર્મ આચરનાર શખ્સ સહિતના ચાર સામે ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ દોઢેક વર્ષ પૂર્વે આરોપી સુનિલ નવઘણભાઇ ડાભી રહે. મોરબી, માધાપર શેરી નં.૨૦ વાળો સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને નાસી છૂટ્યો હતો અને અન્ય આરોપી
અંજુબેન મોરભાઇ, મોરભાઇ અને ભાણજીભાઇ રહે.બધા મોરબીવાળાની મદદગારીથી સગીરા ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

- text

આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સુનિલ નવઘણભાઇ ડાભી રહે. મોરબી, માધાપર શેરી નં.૨૦ વાળા વિરુદ્ધ સગીરાની માતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ અવાર નવાર શરીર સબંધ બાંધી લગ્ન કરવાની ધમકી આપી જેમાં આ કામના આરોપી નં.(૨) થી (૪) નાઓએ મદદગારી કરી ગુન્હો આચરતા તમામ વિરુદ્ધ પોકસો એકટની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તમામને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ ચકચારી ઘટનામાં આર.જે.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટીએ ડિવીઝન તપાસ ચલાવી રહ્યા છે.

- text