મોરબીમાં મંગળવારે વૃક્ષપ્રેમી મંડળનો ધુન ભજનનો કાર્યક્રમ

- text


સ્વ. કાનજીભાઇ ટપુભાઇ પનારાની દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રેરક આયોજન

મોરબી : મોરબીમાં સ્વર્ગવાસ થયેલ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આગામી તા.૧૫ ને મંગળવારે વૃક્ષપ્રેમી મંડળનો ધુન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં પર્યાવરણ જતનના સંદેશા સાથે વિષેશ માર્ગદર્શન પણ આપવામાં આવશે.

સ્વ. કાનજીભાઇ ટપુભાઇ પનારા નું વૈશાખ વદ ૧૦ ,વિક્રમ સવંત ૨૦૭૪ અનુસાર તા.૧૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમના દિવ્ય આત્માને શ્રદ્વધાંજલી આપવા માટે તેમના પુત્રો ડો.જયેશભાઇ કાનજીભાઇ પનારા (કલરવ હોસ્પિટલ) અને કિશોરભાઈ કાનજીભાઇ પનારા દ્વારા આગામી તા ૧૫ ને મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી વૃક્ષ પ્રેમી મિત્ર મંડળના ધૂન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેમાં ધુનની સાથે પયાઁવરણ અંગેની જાણકારી પણ આપવામાં આવશે.

- text

આ કાર્યક્રમ સારથી એપાર્ટમેન્ટ, માણેક સોસાયટી -૧,મહાવીર સોસાયટી ની બાજૂ માં નવા બસ સ્ટેશન સામેની શેરી, રવાપર-શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. જેનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે ડો.જયેશભાઇ કાનજીભાઇ પનારા મો.નં.૯૮૨૫૬ ૨૧૨૧૪ અથવા કિશોરભાઈ કાનજીભાઇ પનારા મો.નં. ૯૮૨૫૩ ૫૪૪૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text