મોરબીની ચીચાકંદોઈ શેરીમાં ૧૬મીથી રામચરિત માનસ પારાયણ

- text


તા.૨૪એ કથાની પુર્ણાહુતી : પૂ.પ્રકાશભાઈ રાવલ વ્યાસપીઠે બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે
મોરબી : મોરબીની ચીચાકંદોઈ શેરીમાં આગામી તા.૧૬ને બુધવારથી તા.૨૪ને ગુરુવાર સુધી રામચરિત માનસ પરાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ.પ્રકાશભાઈ રાવલ વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે.

મોરબીની ચીચાકંદોઈ શેરીના રહીશો દ્વારા આગામી તા. ૧૬ ને બુધવારથી રામચરિત માનસ પારાયણ યોજાનાર છે. જેની પૂર્ણાહુતી તા. ૨૪ ને ગુરુવારના રોજ થશે. મોરબીના પૂ.પ્રકાશભાઈ રાવલ વ્યાસપીઠે બિરાજી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. દરરોજ રાત્રે ૯ થી ૧૧ દરમીયાન આ કથા યોજાશે.

- text

કથામાં તા.૧૬એ કુબેરનાથ મહાદેવની પોથીયાત્રા, તા.૧૭એ શિવ વિવાહ, તા.૧૮એ રામજન્મ, તા.૧૯એ બાલ ચરિત્ર, તા.૨૦એ રામ વિવાહ, તા.૨૧એ કેવટ પ્રસંગ, તા.૨૨એ ભરત મિલાપ, તા.૨૩એ નવધા ભક્તિ, તા.૨૪એ રામેશ્વર સ્થાપના તથા રામ વિજય તિલક સહિતના પ્રસંગો ઉજવાશે. આ કથાનો લાભ લેવા આયોજકોએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text