સ્વ.ડો.નરેન્દ્રસિંહ દાનુભા જાડેજાની પુણ્યસ્મૃતિ નિમિતે વિના મુલ્યે છાસ વિતરણ

- text


મોરબીમાં ધોમધખતા તાપમાં લોકોને ટાઢક આપવા ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પ્રેરક આયોજન

મોરબી : મોરબીમાં સ્વ.ડો.નરેન્દ્રસિંહ દાનુભા જાડેજાની પુણ્યસ્મૃતિમાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા આજરોજ શનિવારે નગરપાલિકા કચેરી પાસે છાસ વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો છે. હાલ કેમ્પનો બહોળી સંખ્યામાં છાસનો લાભ લઈને ગરમી સામે રાહત મેળવી રહયા છે.

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આજે શનિવારના રોજ સવારે ૯:૩૦ થી બપોરે ૩ સુધી નગરપાલિકા કચેરી પાસે , ગાંધીચોક, મોરબી ખાતે છાસ વિતરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.ડો.નરેન્દ્રસિંહ દાનુભા જાડેજા (વિરપરડાવાળા)ની પુણ્યસ્મૃતિમાં તેઓના સુપુત્રોના સહયોગથી છાસ વિતરણ કેમ્પ યોજાઈ રહયો છે.

- text

હાલ બપોરના ધોમધખતા તાપમાં મોટી સંખ્યામાં લોકો છાસ પીને ઠંડક મેળવી રહ્યા છે. કેમ્પને સફળ બનાવવા ઇન્ડિયન લાયન્સ કલબના સેક્રેટરી ભાવેશભાઇ દોશી,ઉપપ્રમુખો રમણભાઈ મહેતા, ઘનશ્યામભાઈ અઘારા, ચંદ્રિકાબેન પલાણ અને પ્રમુખ હર્ષદભાઈ ગામી જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text