મોરબીમાં રવિવારે આહીર સમાજના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો માર્ગદર્શન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં મુરલીધર ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે રવિવારે નવલખી ફાટક પાસે આવેલ આહીર સમાજની વાડી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી આવતીકાલે તા.13 ને રવિવારના રોજ મુરલીધર ફાઉન્ડેશન દ્વારા આહીર ભાઈ અને બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો માર્ગદર્શન કેમ્પ યોજાશે.
આજના સ્પર્ધાત્મક પરીક્ષા ના દોરમાં મોરબી ના આહીર યુવાનોનું ગ્રુપ મુરલીધર ફાઉન્ડેશન એક નવી પહેલ શુરું કરવા જઈ રહ્યું છે. જેમાં આવનાર વર્ગ ૩ની સ્પર્ધાત્મક ભરતી માટે નું માર્ગદર્શન અને શૈક્ષણિક કાર્ય શુરું કરવા જઈ રહ્યા છે. જેમાં નજીવા દરે ફી રાખી ને વધુ ને વધુ આહીર ભાઈ અને બહેન જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

માર્ગદર્શન કેમ્પ આહીર સમાજ વાડી નવલખી ફાટક પાસે સવારે ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી યોજાશે. વધુ માહિતી માટે મિહિરભાઈ મો.નં. ૮૦૦૦૦ ૦૫૨૩૦, વનરાજભાઈ મો.નં. ૮૮૬૬૧ ૮૮૬૮૨, વિશાલભાઈ મો.નં. ૯૭૧૨૭ ૧૭૭૪૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text