વાંકાનેરમાં મહારાણા પ્રતાપ જન્મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રા નીકળી

- text


વાંકાનેર : વાંકાનેરમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ અમરસિંહજી હાઈસ્કુલ ના ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રા વિરામ પામી હતી.

- text

મહારાણા પ્રતાપની જન્મ જયંતિના અવસરે આયોજિત શોભાયાત્રા નું સંતો મહંતો તથા વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં એકલિંગજી સેના , કરણી સેના, વાંકાનેર રાજપૂત સમાજ , બજરંગ દળ ,શિવ સેના ,ગૌ રક્ષા દળ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ સહિતના સંગઠનો જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રા નું સમાપન થયું હતું.

- text