માળિયાના મેઘપર ગામે તળાવ ઊંડું કરવાની કામગીરીનો પ્રારંભ કરાવતા સૌરભ પટેલ

- text


માળીયા : માળીયા તાલુકાના મેઘપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ઉર્જા મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી સૌરભભાઈ પટેલના હસ્તે તળાવ ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજ્યભરમાં લોકભાગીદારી થી તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત માળીયા તાલુકાના મેઘપર ગામે રાજ્ય કક્ષાના ઉર્જામંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં તળાવ ઊંડા કરવાની કામગીરીનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.

- text

આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,નાયબ કલેક્ટર, માળીયા તાલુકા મામલતદાર, માળીયા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

- text