- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગામોમાં નર્મદાનું પાણી આપવા બાબતે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રી અને વાંકાનેર તાલુકા કોંગ્રેસના મહામંત્રીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.
- text
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રી સુખદેવભાઈ ડાભી અને વાંકાનેર તાલુકા કોંગ્રેસના મહામંત્રી જગદીશભાઈ કોબીયાએ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદાના પાણીના અભાવે વાંકાનેર તાલુકાની પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો અને પશુઓને પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડે છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને વાંકાનેર તાલુકાને નર્મદાનું પાણી મળતું થાય તેવી માંગ છે.
- text