મોરબીના વકીલો જામનગર હત્યાકાંડના વિરોધમાં કાલે સોમવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

- text


મોરબી: જામનગરમાં જાણીતા એડવોકેટની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં મોરબી બાર એસોસિએશનના વકીલ સભ્યો આવતીકાલે તા.૩૦ને સોમવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની જાહેરાત કરી છે.

ગઈકાલે જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોષીની છરીના ૧૨ જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વકીલ આલમમાં રોષ ભભૂક્યો છે.જેને લઈને મોરબી બાર એસોસિએશનના વકીલો આવતીકાલે તા. ૩૦ ને સોમવારના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી ઘટના સામે વિરોધ દર્શાવશે. તેમ મોરબી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ જીતુભા જાડેજાની યાદિમાં જણાવાયું છે.

- text

- text