મોરબીમાં સિમ્પોલો ગ્રુપનું સફાઈ અભિયાન : 100 કર્મચારીઓ બે કલાકમાં 45 ટન કચરો ઉપાડ્યો

- text


સિમ્પોલોના કર્મચારીઓએ ત્રાજપર ચોકડી થી હાઉસિંગ સર્કલ સુધીના રોડની બન્ને બાજુએ સફાઈ કરી

મોરબી : મોરબીમાં સિમ્પોલો સિરામિક્સ દ્વારા આજે ત્રાજપુર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ રસ્તાઓની સફાઈ હાથ ધરી હતી.જેમાં કર્મચારીઓએ માત્ર બે કલાકમાં 45 ટન કચરો ઉપાડ્યો હતો.

સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપવાના ભાગ રૂપે મોરબીના સીરામીક ક્ષેત્રના જાણીતા ગ્રૂપ સિમ્પોલો સિરામિક્સ દ્વારા ત્રાજપર ચોકડીએથી હાઉસિંગ સર્કલ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને રોડની બન્ને બાજુ સાફ સફાઈ કરી હતી.

- text

સિમ્પોલો સીરામિક્સના ડાયરેક્ટર ભરતભાઈ અઘારાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે સિમ્પોલો ગ્રૂપના ચેરમેન જીતુભાઇ અઘારાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટર અને એસ.પી.નો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહિનામાં એક વાર આવું સફાઈ અભિયાન કરવામાં આવશે. ભરતભાઈએ મોરબીના અન્ય સીરામીક એકમોને પણ આ રીતે સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

- text