મોરબીના પ્રશ્નોને વાચા આપવા સોમવારે શહેર કોંગ્રેસના ધરણા

- text


કોંગ્રેસ અગ્રણીઓ નગરપાલિકાના પટાંગણમાં સવારે ૧૦ થી સાંજે ૫ સુધી પ્રતીક ઉપવાસ કરશે

મોરબી: મોરબી શહેરના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના પટાંગણમાં સોમવારે એક દિવસીય પ્રતીક ઉપવાસ કરવામાં આવશે.જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લાલિતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી નગરપાલિકા વિપક્ષ નેતા કે.પી.ભાગીયા સહિતના કોંગી અગ્રણીઓ જોડાશે.

- text

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવરના જણાવ્યા મુજબ શહેરની જનતા પોતાના પરસેવાની કમાણીના પૈસા નગરપાલિકાને આપે છે. બદલામાં જનતાને ધૂળિયા રસ્તા, જ્યાં ત્યાં કચરાના ઢગલા , ઉભરાતી ગટરો અને અશુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહેલા તંત્રને જગાડવા માટે તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા કચેરીના પટાંગણમાં સોમવારે સવારે ૧૦ થી સાંજે ૫ સુધી એક દિવસીય પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

- text