વાંકાનેરના મિલપ્લોટમાં બંધ કરાયેલ પોસ્ટઓફિસ પુનઃશરૂ કરવાની માંગ

- text


શહેર ભાજપના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ

વાંકાનેર : વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં પોસ્ટ ઓફીસ બંધ કરી દેવામાં આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ પોસ્ટ ઓફીસને ફરી થી શરૂ કરવા બાબતે વાંકાનેર શહેર ભાજપ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

વાંકાનેર શહેર ના મિલપ્લોટ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંધ કરી દીધેલ છે. મિલપ્લોટ વિસ્તારમાં ૧૦.૦૦૦ થી વધુ લોકો ની વસ્તી છે તેમજ સાથે આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલ હોવાથી પોસ્ટ ઓફિસ બંધ થતાં લોકો ને હાલકી ભોગવવી પડે છે. વહેલી તકે ફરીથી પોસ્ટ ઓફિસ શરૂ થાય તેવી માંગ સાથે પ્રાંત અધિકારી ને વાંકાનેર શહેર ભાજપ ના અગ્રણીઓ દ્વારા આવેદન પત્ર આપ્યું હતું.

 

- text