- text
વાંકાનેર : વાંકાનેરમાં પત્ની ત્રણ સંતાનો સાથે અન્ય સાથે ભાગી જતા પત્નીના વિરહમાં પતિએ ઉંદર મારવાની દવા પી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ખોજપરામાં રહેતા રફીક ઇસ્માઇલભાઈ ખફી ઉ. ૪૨ નામના યુવાને ગત રાત્રીના ઉંદર મારવાની દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
- text
વધુમાં હોસ્પિટલના બિછાને પડેલા રફીકભાઈએ જણાવ્યું હતું કે તેમની પત્ની મુની ત્રણ સંતાનોને લઈ અન્ય સાથે ભાગી ગઈ હોવા ઉપરાંત પોતાને ડાયાબીટીઝની બીમારી હોય કંટાળી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
- text