મોરબીના નહેરુગેટ ખાતે કેન્ડલ પ્રજ્વલિત કરીને આસિફાને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


આરોપીઓને આકરી સજા કરી આસિફાને ન્યાય આપવમાં આવે તેવી લોકોની લાગણી વ્યક્ત કરી

મોરબી : મોરબીના નહેરુગેટ ખાતે આજે સાંજે જાગૃત નગરજનોએ કેન્ડલ પ્રજ્વલિત કરીને આસિફાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત આરોપીઓને આકરી સજા થાઈ અને આસિફાને ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

કાશ્મીરના કઠુઆમાં આસિફા નામની બાળકી પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી દેશભરમાં અરેરાટી વ્યાપી છે. હાલ દેશભરમાંથી આરોપીઓ પર ફિટકાર વર્ષી રહ્યો છે. ઠેર ઠેર આસિફા પર થયેલા અત્યાચારના વિરોધમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં પણ જાગૃત નાગરિકોએ આ ઘટનાને વખોડી કાઢી હતી. ઉપરાંત આજે સાંજે નહેરુગેટ ખાતે જાગૃત કેન્ડલ પ્રજ્વલિત કરીને આસિફાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી આસિફાને ન્યાય મળે તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.

- text

- text