- text
હળવદ : હળવદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. બસ સ્ટેશન વિસ્તારથી ટીકર સર્કલ સુધી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે હળવદ/ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જીલ્લા પંચાયત ના શીચાઈ સમિતિના ચેરમેન ધરમેન્દ્રભાઈ પટેલ, સહીત કોગ્રેસના અગ્રણી ઓ દ્રારા ડૉ. બાબાસાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
- text
- text