તેલંગણાના કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો વાંકાનેરની શુભેચ્છા મુલાકાતે

- text


મોરબી : તેલંગણા રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ તેલંગણા પછાત વિકાસ બોર્ડના ચેરમેન અને તેલંગણાના પ્રજાપતિ સમાજના આગેવાનો વાંકાનેરમાં માટીકામ કલાકારી બોર્ડના ડિરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિના અતિથિ બન્યા હતા. ત્યારે સુરેશભાઈના પરિવારે તેઓને મીઠો આવકર આપી કાઠિયાવાડી મહેમાનગતિ દેખાડી હતી.

વાંકાનેરમાં રહેતા ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડિરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિના ઘેર તેલંગણા રાજ્ય ના કેબિનેટ મંત્રી જોગુ રામન્ના (વન અને પર્યાવરણ મંત્રી) , તેલંગણા ના ધારાસભ્ય તથા તેલંગણા પછાતવિકાસ બોર્ડ ના ચેરમેન તડુરી શ્રીનિવાસન અને તેલંગણા રાજ્ય ના પ્રજાપતિ સમાજ ના નામાંકિત આગેવાનો તેમજ ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના નિયામક આર. કે. પટેલ તથા બોર્ડ ના મેનેજર સાહિતના અતિથિ સ્વરૂપે પધાર્યા હતા.

- text

સુરેશભાઈ પ્રજાપતિના કાકા મગનભાઈ, ડાયાભાઈ, તથા ભાઈઓ જગદીશભાઈ અને મહેન્દ્રભાઈ એ મહેમાનો નુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

- text