સાર્થક વિદ્યામંદિર દ્વારા મહારાજા નામદાર વાઘજી ઠાકોર બાપુને શ્રદ્ધાંજલી અપાઈ

- text


મોરબી: સાર્થક વિદ્યામંદિર દ્વારા મોરબીના મહારાજા વાઘજી ઠાકોર બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વાઘજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- text

તા. ૭ એપ્રિલના રોજ મોરબીના મહારાજા વાઘજી ઠાકોર બાપુની જન્મ જયંતિ હતી. મોરબીની સાર્થક વિદ્યામંદિરે આ દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મહારાજા વાઘજી ઠાકોર બાપુની જ્ન્મ જ્યંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને શાળાના બાળકો દ્વારા પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના મહારાજા વાઘજી ઠાકોર બાપુએ કરેલા લોક કલ્યાણના કામોને લીધે તેઓ આજે પણ મોરબીવાસીઓની લોકચાહના ધરાવે છે.

- text