મોરબી રામોજી ફાર્મ ખાતે ચાલતા વૈદિક યજ્ઞમાં સોમવારથી હનુમાન ચરિત્ર કથાનો પ્રારંભ

- text


હનુમાન ચરિત્ર કથાનો ભાવિકોને લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ

મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક મહારુદ્ર યજ્ઞમાં શિવકથા અને ભાવગત કથા પૂર્ણ થયા બાદ તારીખ 9 એપ્રિલ સોમવારથી જાણીતા કથાકાર અવધ કિશોરજી મહારાજની હનુમાન ચરિત્ર કથાનો રાત્રીના 9થી 12 પ્રારંભ થઇ રહ્યો છે.

- text

આ હનુમાન કથાના પ્રારંભે સોમવારે સાંજે 5.30 કલાકે રવાપર ગામના બહુચર મંદિરેથી પોથી યાત્રા નીકળી હતી. આ હનુમાન ચરિત્ર કથાનો મોરબીના ધર્મપ્રેમી ભાવિકોને લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text