મોરબી : શિવકથાના અંતિમદિને આજે ભાવિકોને ડો.લંકેશબાપુ પ્રસાદરૂપે રુદ્રાક્ષ આપશે

- text


મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે આજે શિવ કથાના છેલ્લા દિવસે લંકેશબાપુ તરફથી દરેક ભાવિકો પ્રસાદરૂપે રુદ્રાક્ષ આપવામાં આવનાર છે. ત્યારે ભાવિકોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવમાં આવ્યું છે.

- text

મોરબીમાં રામોજી ફાર્મ ખાતે યોજાઈ રહેલા વૈદિક યજ્ઞ દરમિયાન રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી ચાલી રહેલી યંગ ઇન્ડિયા ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા આયોજિત જાણીતા શિવકથાકાર ડો.લંકેશબાપુની શિવ કથાના આજે અંતિમ દિવસે રાત્રે કથાના સમાપન બાદ કથામાં હાજર તમામ ભાવિકોને પ્રસાદરૂપે કથાકાર લંકેશબાપુ તરફથી એક રુદ્રાક્ષ આપવામાં આવશે. આ પવિત્ર રુદ્રાક્ષના પ્રસાદનો લાભ લેવા મોરબીની ધર્મ પ્રેમી જનતાને આજે રાત્રે ૯ વાગ્યે કથામાં હાજર રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેન રબારીની યાદીમાં જણાવાયું છે.

 

- text