ટંકારામાં શાળા સંચાલકની મહેમાનગતિ થી પ્રભાવિત થઈને નિરીક્ષકોએ આપી ભેટ

- text


ધો ૧૦ની પરીક્ષામાં એક પણ કોપી કેસ ન નોંધાયો

ટંકારા : ટંકારામાં ધોરણ ૧૦ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ હતી. છાત્રોએ શિસ્ત થી પેપર આપતા એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.ત્યારે ટંકારા ની લાઈફ લિંકસ વિદ્યાલયના સંચાલકની લાગણીથી ભાવવિભોર થઈ બોર્ડના નિરીક્ષકોએ ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો

ધો.૧૦ની બોર્ડની પરીક્ષા મા ટંકારના જામનગર રોડ પર આવેલી લાઈફ લિંકસ વિદ્યાલયનાં સંચાલક દ્વારા લાગણીના તાંતણે લાલચથી પર થઈ તમામ નિરીક્ષકો અને શિક્ષકો માટે પ્રેમથી ભોજન ચા-પાણી અને નાસ્તાની સાથે વિદ્યાર્થીઓ માટે પણ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.સંચાલકના આ કાર્યથી પ્રભાવિત થઈ અને સુંદર સહયોગ બદલ બહારથી આવેલા શિક્ષકોએ ત્યાંના સંચાલક બારૈયા સાહેબનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા ભેટ આપી હતી.તો ટંકારામાં બોર્ડની પરીક્ષામાં પૂર્ણાહૂતિ થઇ હોય તમામ પેપરમાં એક પણ કોપી કેસ નોંધાયો નથી અને સુંદર શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પેપર આપ્યા હતા.

- text

 

- text