ટંકારામા શહીદ દિને આર્ય સમાજ દ્વારા મશાલ રેલી યોજાશે

- text


મશાલ લઈને શહેરના રાજમાર્ગો પર ફરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે

ટંકારા : આર્ય સમાજ ટંકારા ની યુવા પાંખ આર્ય વીર દળ દ્વારા આગામી તા.૨૩ માચઁ ને શુક્રવારે રાત્રે ૮ કલાકે વિદેશી વિધર્મી અંગેજ શાસકો ને ભારત માથી હાકિ કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ,અને રાજગુરુ ના શહીદ દિને શ્રદ્ધાંજલિ આપવા અને દેશ મા થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશ દાઝ થી તેના પ્રાણ પણ મ્રાતુભુમી માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના સાથે મશાલ રેલી નુ આયોજન કરવામાં આવ્યુ છે .

- text

મશાલ રેલી શહેર ના મુખ્ય રાજમાર્ગ પર ફરશે જેનુ પ્રસ્થાન ગાયત્રી નગર થી થશે. ત્યારબાદ ખાડીયા વાસ ,ઉગમણા નાકા, ઘેટીયાવાસ, મેઈન બજાર, એમ. ડી. સોસાયટી,લક્ષ્મી નારાયણ સોસાયટી. નગરનાકા, ત્રણ હાટડી બાદ આયઁ સમાજ ખાતે પુર્ણ થશે.

આ તકે બહોળી સંખ્યા મા હાજર રહી શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા ટંકારા ની જનતાને આયઁ સમાજના ઉપ પ્રમુ હસમુખજી પરમારે આહવાન કર્યું છે .રેલી ના આયોજન માટે આયઁ સમાજ ટંકારા ના મંત્રી દેવજીભાઇ પડસુંબિયા ના માગઁદશઁન નીચે આયઁ વીર દળ ટંકારા ના સંચાલક પરેશભાઇ કોરિંગા, રજનીકાંત મોરસાણીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

- text