- text
માતા વિહોણા ગલુડિયાની પરવરીશની જવાબદારી ઉપડતા મોરબી વીર દાદા જશરાજ સેનાના યુવાનો
મોરબી : મોરબીમાં ગલુડીયા ને જન્મ આપ્યા બાદ માતા શ્વાન મૃત્યુ પામતા વિરદાદા જસરાજ સેનાના યુવાનો એ ગલુડીયાના ઉછેરની જવાબદારી સ્વીકારી માનવતા મહેકાવી છે.
મોરબીના લોહાણાપરા વિસ્તારમા ૭ ગલુડીયા ને જન્મ આપ્યા બાદ માતા શ્વાનનુ મૃત્યુ થયુ હતુ ત્યારે મોરબી વીર દાદા જશરાજ સેનાના વિશાલ ગણાત્રા, ચિરાગ વોરા, જયેશભાઈ કોટેચા સહીતનાઓએ તમામ ગલુડીયાઓ ને બાહ્ય આક્રમણથી બચાવવા સલામત સ્થળે ખસેડ્યા હતા. ત્યાર બાદ તેના ભોજનની વ્યવસ્થા કરવામા આવી હતી.
- text
તેઓ ના જણાવ્યા મુજબ ગલુડીયાઓ ને સંપૂર્ણ સલામત જગ્યા એ રાખવામા આવ્યા છે. તેના ઉછેર તેમજ ભોજનની સમગ્ર વ્યવસ્થા કરવા મા આવશે.
- text