હળવદમાં પરિણીતાને જીવતી સળગાવતો નરાધમ સસરો

- text


ઇશ્વરનગરની ચોકવનારી ઘટનામાં પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

હળવદ : હળવદના ઇશ્વરનગરમાં રસોઈ બનાવતા દાઝેલી પટેલ પરિણીતા હાલ ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આ મામલે પોલીસે મોટો ઘટસ્ફોટ કરી પટેલ પરિણીતા રસોઈ બનાવતા નહિ પરંતુ નરાધમ સસરાએ મારમારી સળગાવી હોવાનો ખુલાસો કરતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના ઇશ્વરનગર ગામની પરણિતા આશાબેન વિનોદભાઈ પટેલ દાઝી જતા પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઇ છે. આ ઘટનામાં પ્રથમ પરણિતા રસોઈ બનાવતા દાઝી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.આર.સોલંકીને આ બનાવ શંકાસ્પદ જણાતા ઊંડાણપૂર્વકની છાનભિન શરૂ કરી હતી જેમાં પરિણીતાના સસરા મગન પરસોત્તમ પટેલ શંકાના દાયરામાં આવી ગયા હતા.

- text

વધુમાં બનાવ સમયે રસોઇ બનાવવા પ્રશ્ને બોલાચાલી બાદ પરિણીતા આશાબેનના સસરા મગનભાઈએ ઉશ્કેરાઈ જઇ લાકડી વડે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અને પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન હાલ આશાબેનને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

આ ગંભીર બનાવ મામલે હળવદ પોલીસે આરોપી સસરાની અટક કરી છે અને બનાવ અંગેની વધુ તપાસ પીઆઈ એમ.આર. સોલંકી ચલાવી રહ્યા છે

- text