મોરબી : વૃધ્ધનું મૃત્યુ ગળેફાંસોથી નહિ પણ હાર્ટ એટેકના કારણે થયાનો ખુલાસો

- text


મોરબી : મોરબીમાં સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા જામભા પ્રભાતસિંહ ગોહિલ (ઉ.વ.૮૫) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધાની પ્રેસને મોકલતા પોલીસના ડીઆર(ડેઇલી રિપોર્ટ)માં નોંધ થઇ હતી. પરંતુ આ અંગે વૃધ્ધના પરિવારજનોએ ખુલાસો કર્યો હતો કે વૃદ્ધનુ મૃત્યુ ગળેફાંસો ખાવાથી નહિ હાર્ટ એટેક આવાથી થયું હતું. આ અંગે પોલીસ તંત્ર દ્વારા પણ આ ભૂલનો સ્વીકાર કરી પ્રેસને મોકલતા પોલીસના ડીઆર(ડેઇલી રિપોર્ટ)માં ટેક્નિકલ ક્ષતિના કારણે ભૂલ થઇ હોવાનો ખુલાસો કર્યો હતો.

- text

- text