વાંકાનેર નજીક ટ્રક હડફેટે બે પદયાત્રીના મોત : એક ગંભીર

- text


ભુજથી ચોટીલા ચાલીને જતા ૮ યાત્રીઓમાંથી ૩ને ટ્રકે હડફેટે લીધા

વાંકાનેર : વાંકાનેરના ચોટીલા હાઈવે પર જોધપર ગામની ખારી પાસેના નેશનલ હાઇવે ઉપર રસ્તો ઓળંગી મંદિર તરફ જતાં પદયાત્રીઓને અજાણ્યા ટ્રકચાલકે અડફેટે લેતાં બે મહિલાઓના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા વાંકાનેર સરકારી હોસ્પિટલ રખાયા છે, જ્યાંથી તેને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

કરછ જિલ્લાના જવાહરનગરમાં રહેતા આહીર પરિવારના 8 સ્ત્રીપુરૂષો ચાલીને જવાહરનગરથી ચોટીલા જતા હતા ત્યારે વાંકાનેરથી 10 કિલોમીટર દૂર આવેલા જૉધપર ગામની ખારી પાસે આવેલા મંદિરે રાત્રિભોજન અને વિસામો લેવા જતા રસ્તો ઑળંગતી વખતે અજાણ્યા ટ્રકચાલકે આ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. તેમા 8 યાત્રીઑમાંથી 3 યાત્રીઑ અડફેટે ચડી ગયા હતા. જેમાં કચડાઈ જવાથી બે મહિલાઑનાં ધટનારથળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી.

- text

આ અકસ્માતમાં રાજીબાઈ ભીમાભાઇ ચાડ (આહીર) ઉ.૪૫, રાજીબેન શામજીભાઈ ચાડ (આહીર) ઉ.૬૦, રહે. બંને જવાહરનગર ભુજના ઘટનારથળેથી મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે મેઘીબાઈ ભગુભાઈ ડાંગર ઉ.૫૦ રહે. જવાહરનગર તા.જી. ભુજ ગંભીર રીતે ધવાયા હતા. ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પીએસઆઇ ગોસાઇ, જમાદાર જમનભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકને ઝડપી પાડવા ચોટીલા પોલીસને જાણ કરાઇ હતી તેમજ અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- text