વાંકાનેરમાં ઘરકામ બાબતે ઠપકો આપતા પરણીતાનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પરણીતાને ઘરકામ બાબતે ઠપકો આપતા તેણી એ આપઘાત કરી લીધાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.
વાંકાનેરની નાની બજારમાં રહેતી કીર્તિબેન રવિભાઈ સોલંકી ઉ વ 27 નામની પરણીતાએ ગતરાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો વાંકાનેર પોલોસે આ બાબતે જણાવ્યુ હતુ કે મૃતક પરલીતાના સાસુ બીમાર રહેતા હોય ઘરકામ બાબતે કોઈએ ઠપકો આપતા તેમને લાગી આવ્યું હતું અને ગળેફાંસો ખાય ને મોતને વ્હાલું કરી લીધું હતું તેમના 3 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેમને એક સંતાન છે આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

- text

- text