મોરબીમાં અનુ.જાતિના છાત્રો માટે ૩૧ મીથી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો

- text


મોરબી : મોરબી જિલ્લા એસ.સી, એસ.ટી. કર્મચારી મંડળ અને દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ દ્વારા તા.૩૧ માર્ચથી અનુસુચિત જાતિના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો નું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ડો. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળ અને દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિના સયુંકત ઉપક્રમે ફ્રી ઓફ કોસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો તા.૩૧ માર્ચ ના રોજ થી શરૂ થવા જઈ રહ્યા છે તો આ વર્ગો માં જોડાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ એ તા.૨૫ સુધી માં પોતાનું રેજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ડો. બી.આર. આંબેડકર પુસ્તકાલય, ૨જો માળ વણકર સમાજ ઓફીસ, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text