મોરબીના ડો.જયંતીભાઈ ભાડેસિયાની પશ્ચિમ સંઘચાલક તરીકે પુનઃનિમણુક

- text


આર એસ એસનાં પશ્ચિમ ક્ષેત્રનું સુકાન ફરીવાર સોંપાતા ડૉ.જયંતીભાઈ પર થઈ અભિનંદન વર્ષા

મોરબી,
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા દ્વારા મોરબીના ડો.જયંતીભાઈ ભાડેસિયા ની ફરી પશ્ચિમ સંઘચાલક તરીકે વરણી કરવામાં આવી છે. પુનઃ વરણી થતાં ડો.જયંતીભાઈ ફરી ગુજરાત, કોંકણ,દેવગીરી,વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્ર વિસ્તારમાં આર એસ એસ નું સુકાન સાંભળશે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નિર્ણય લેનાર સર્વોચ્ય શાખા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ સર્વાનુમતે પશ્ચિમ સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેસિયાને ફરી વખત પશ્ચિમ ભારતનું સુકાન સોંપ્યું છે.૧૫૩૮ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ડો.જયંતિભાઇ ને ફરી પશ્ચિમ સંઘચાલક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ડો.જયંતીભાઈ ભાડેસીયા ની પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક તરીકે પુનઃ વરણી થતાં હાલ તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.નાનપણથીજ આર એસ એસ ને રંગે રંગાયેલા મોરબીના ડો.જયંતીભાઈ એ અગાઉ પશ્ચિમ ક્ષેત્રમાં આર એસ એસનું સુકાન સફળતા પૂર્વક સાંભળ્યું હોવાના કારણે તેઓની ફરી નિમણુક કરીને પશ્ચિમ ક્ષેત્રનું સુકાન સોંપવામાં આવ્યું છે.

 

- text