મોરબીમાં ઝૂલતાપૂલ પરથી કૂદી આપઘાત કરનાર અમદાવાદના LRD જવાનની લાશ મળી

- text


મોરબી : મોરબીના ઝૂલતાપૂલ પરથી કૂદી મૂળ ચરાડવા અમદાવાદના એક એલઆરડી  એક પોલીસ જવાને આપઘાત કરી.લીધો હતો બનાવની જાણ થતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી મોડી રાત્રી સુધી મૃતદેહની શોધખોળ કર્યા બાદ આજે જવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સુસાઇડ નોટમાં યુવાને જિંદગી થી કંટાળી આપઘાત કર્યાનું લખ્યું હતું. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની.મળતી વિગત મુજબ મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની અને અમદાવાદ એલઆરડી જવાન ભરત કાનજી ગોહિલે ગઈકાલે મોડી સાંજે ઝુલતાપુલ પરથી કૂદી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં મોરબી ફાયરવિભાગ ના ટીમ દોડી જઇ મૃતદેહની શોધખોળ કરી હતી.જોકે મોડી રાત સુધી તેની લાશ મળી ન હતી. પુલ પર તપાસ કરતા યુવાન શર્ટ માં સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે જિંદગી થી કંટાળી આ પગલું ભર્યાંનું જણાવ્યું હતું. તે દરમિયાન આજે મોરબી અને રાજકોટના તરવૈયાની મદદથી આજે યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text