મોરબી ગુરુકુળના બોર્ડના છાત્રોએ કરી મહાપૂજા

- text


મોરબી : શૈક્ષણિક કારકિર્દીનાં વણાંક સમી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા નજીક આવી રહી છે.ત્યારે મોરબીની સ્વામિનારાયણ ગુરુકુલ ના પરીક્ષાર્થીઓની એકાગ્રતામાં વધારો થાય અને મહેનત મુજબ સફળતા મળે તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા કરવામાં આવી હતી.

- text

મહાપુજામાં ધોરણ ૧૦ અને ૧૨ના છાત્રો સાથે તેઓના વાલીઓ પણ જોડાયા હતા.આ તકે સ્વામિનારાયણ ગુરુકલના સ્વામિ જ્ઞાનજીવનદાસજીએ જણાવ્યું હતુંકે આપણે કરેલી મહેનત સાથે ઈશ્વર નો આશીર્વાદ ભળે તો સાચી સફળતા મળતી હોય છે. વધુમાં ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત થતા મન સ્થિર થાય છેઅને એકાગ્રતામાં વધારો થાય છે.અહી ગુરુકુલમાં વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતા એ પણ ભગવાનની મહાપૂજા કરી હતી.

 

- text